NIMCના ડાયરેક્ટરશ્રી ડૉ.શિરિષ કાશિકર અને ભવન્સ કોલેજના પત્રકારત્વ વિભાગના વિઝીટીંગ ફેકલ્ટીશ્રી ડૉ.પરેશ રૂપારેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા અને માર્ગદર્શન
આજના ઝડપી યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટ હાથવગાં બનતાં માહિતીનો જે વિસ્ફોટ થયો છે તેના પગલે કોરોના વાયરસ મહામારી સમયે સોશિયલ મીડિયાએ ભજવેલી ભૂમિકા અને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકેની ફરજો અંગે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેબિનાર યોજાયો.
HNGUના પત્રકારત્વ વિભાગ દ્વારા કોરોના વાયરસ મહામારી દરમ્યાન સોશિયલ મીડિયા આશિર્વાદ કે અભિશાપ વિષય પર યોજાયેલા વેબિનારમાં તજજ્ઞ તરીકે જોડાયેલા ભવન્સ એચ.બી.ઈન્સ્ટિટ્યુટના વિઝીટીંગ ફેકલ્ટી અને વ્યવસાયે સર્જન એવા ડૉ.પરેશ રૂપારેલે જણાવ્યું કે, અખબારો કરતાં અનેકગણાં ઝડપી એવા સામાજીક માધ્યમોએ વ્યક્તિમાત્ર વચ્ચેનું અંતર ઘટાડ્યું છે. લોકડાઉન દરમ્યાન લોકોએ તેનો સદ્ઉપયોગ પણ કર્યો છે. તેવી જ રીતે તેના પર વહેલા ખોટા સમાચારોના ધોધ અને ભ્રામક વાતો પણ એટલી જ ફેલાઈ છે. પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે હકીકતની ખરાઈ કરી પત્રકાર તરીકેની તમારી વિશ્વસનિયતા જળવાઈ રહે તે પ્રકારે સામાજીક માધ્યમોનો હંમેશા વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જરૂરી છે.
નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ માસ કમ્યુનિકેશનના ડાયરેક્ટરશ્રી ડૉ. શિરિષ કાશિકરે જણાવ્યું કે, પ્રાથમિક રીતે દરેક માધ્યમ આશિર્વાદરૂપ જ છે. પરંતુ તેના ઉપયોગની અતિશયોક્તિ તથા હું શું કરી રહ્યો છું એ દુનિયાને બતાવવાની ઘેલછામાં દરેક વ્યક્તિ બ્રોડકાસ્ટર બન્યો છે અને એટલે જ એક મોટું જોખમ પણ ઉભું થયું છે વિશ્વસનિયતાનું. સમાજમાં તમારી છબી સબળ હોવાથી ખોટી માહિતીથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે જોવાની જવાબદારી અને ફરજ પણ પત્રકાર તરીકે તમારી છે. વધુમાં ડૉ.કાશિકરે કોવિડ-૧૯ દરમ્યાન કરવામાં આવેલા સામાજીક સર્વે દ્વારા મેળવવામાં આવેલા વિવિધ પાસાઓની આંકડાકિય માહિતી પણ રજૂ કરી હતી.
રોજીંદા જીવનમાં બનતી ઘટનાઓના સમાચારનું સ્થાન કોરોના વાયરસ મહામારીને લગતા સમાચારોએ લીધું છે ત્યારે ખોટી આંકડાકિય માહિતી અને અન્ય કન્ટેન્ટની સત્યતા ચકાસવી જરૂરી બની છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઈનની જેમ પત્રકારોએ ખોટા સમાચારની ચેઈન તોડી સમાજ અને જનમાનસ પર પડતા નકારાત્મક પ્રભાવને રોકવાની ફરજ અદા કરવાની છે. વધુમાં સામાજીક માધ્યમોનો બિનજરૂરી ઉપયોગ ટાળી સારા પુસ્તકોના વાંચન, યોગ-પ્રાણાયામ તથા નવી કળાઓ શિખી નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર છે તેમ તજજ્ઞોએ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા યુઝર ઓરિએન્ટેડ છે તેમ જણાવી પત્રકારત્વ વિભાગના વડાશ્રી આનંદ પટેલે ઉમેર્યું કે, યુવાનોની માનસિકતા પર સૌથી વધુ અસર કરતાં આ આધુનિક માધ્યમના સુચારૂ અને વિવેકપૂર્ણ ઉપયોગ માટે તેમને જરૂરી તાલીમ આપવામાં આવે તો તેનો દૂરૂપયોગ અને તેનાથી થતી નકારાત્મક અસરોથી બચી શકાશે.
HNGUના કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાયેલા આ વેબિનારમાં જોડાયેલા પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના તજજ્ઞશ્રીઓ દ્વારા ઉદાહરણ સહિત વિસ્તૃત અને મુદ્દાસર જવાબ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર વેબિનારનું સંચાલન અને આભારવિધિ પત્રકારત્વ વિભાગના ફેકલ્ટીશ્રી ભરતભાઈ ચૌધરીએ કરી હતી.
આજના ઝડપી યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટ હાથવગાં બનતાં માહિતીનો જે વિસ્ફોટ થયો છે તેના પગલે કોરોના વાયરસ મહામારી સમયે સોશિયલ મીડિયાએ ભજવેલી ભૂમિકા અને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકેની ફરજો અંગે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેબિનાર યોજાયો.
HNGUના પત્રકારત્વ વિભાગ દ્વારા કોરોના વાયરસ મહામારી દરમ્યાન સોશિયલ મીડિયા આશિર્વાદ કે અભિશાપ વિષય પર યોજાયેલા વેબિનારમાં તજજ્ઞ તરીકે જોડાયેલા ભવન્સ એચ.બી.ઈન્સ્ટિટ્યુટના વિઝીટીંગ ફેકલ્ટી અને વ્યવસાયે સર્જન એવા ડૉ.પરેશ રૂપારેલે જણાવ્યું કે, અખબારો કરતાં અનેકગણાં ઝડપી એવા સામાજીક માધ્યમોએ વ્યક્તિમાત્ર વચ્ચેનું અંતર ઘટાડ્યું છે. લોકડાઉન દરમ્યાન લોકોએ તેનો સદ્ઉપયોગ પણ કર્યો છે. તેવી જ રીતે તેના પર વહેલા ખોટા સમાચારોના ધોધ અને ભ્રામક વાતો પણ એટલી જ ફેલાઈ છે. પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે હકીકતની ખરાઈ કરી પત્રકાર તરીકેની તમારી વિશ્વસનિયતા જળવાઈ રહે તે પ્રકારે સામાજીક માધ્યમોનો હંમેશા વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જરૂરી છે.
નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ માસ કમ્યુનિકેશનના ડાયરેક્ટરશ્રી ડૉ. શિરિષ કાશિકરે જણાવ્યું કે, પ્રાથમિક રીતે દરેક માધ્યમ આશિર્વાદરૂપ જ છે. પરંતુ તેના ઉપયોગની અતિશયોક્તિ તથા હું શું કરી રહ્યો છું એ દુનિયાને બતાવવાની ઘેલછામાં દરેક વ્યક્તિ બ્રોડકાસ્ટર બન્યો છે અને એટલે જ એક મોટું જોખમ પણ ઉભું થયું છે વિશ્વસનિયતાનું. સમાજમાં તમારી છબી સબળ હોવાથી ખોટી માહિતીથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે જોવાની જવાબદારી અને ફરજ પણ પત્રકાર તરીકે તમારી છે. વધુમાં ડૉ.કાશિકરે કોવિડ-૧૯ દરમ્યાન કરવામાં આવેલા સામાજીક સર્વે દ્વારા મેળવવામાં આવેલા વિવિધ પાસાઓની આંકડાકિય માહિતી પણ રજૂ કરી હતી.
રોજીંદા જીવનમાં બનતી ઘટનાઓના સમાચારનું સ્થાન કોરોના વાયરસ મહામારીને લગતા સમાચારોએ લીધું છે ત્યારે ખોટી આંકડાકિય માહિતી અને અન્ય કન્ટેન્ટની સત્યતા ચકાસવી જરૂરી બની છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઈનની જેમ પત્રકારોએ ખોટા સમાચારની ચેઈન તોડી સમાજ અને જનમાનસ પર પડતા નકારાત્મક પ્રભાવને રોકવાની ફરજ અદા કરવાની છે. વધુમાં સામાજીક માધ્યમોનો બિનજરૂરી ઉપયોગ ટાળી સારા પુસ્તકોના વાંચન, યોગ-પ્રાણાયામ તથા નવી કળાઓ શિખી નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર છે તેમ તજજ્ઞોએ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા યુઝર ઓરિએન્ટેડ છે તેમ જણાવી પત્રકારત્વ વિભાગના વડાશ્રી આનંદ પટેલે ઉમેર્યું કે, યુવાનોની માનસિકતા પર સૌથી વધુ અસર કરતાં આ આધુનિક માધ્યમના સુચારૂ અને વિવેકપૂર્ણ ઉપયોગ માટે તેમને જરૂરી તાલીમ આપવામાં આવે તો તેનો દૂરૂપયોગ અને તેનાથી થતી નકારાત્મક અસરોથી બચી શકાશે.
HNGUના કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાયેલા આ વેબિનારમાં જોડાયેલા પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના તજજ્ઞશ્રીઓ દ્વારા ઉદાહરણ સહિત વિસ્તૃત અને મુદ્દાસર જવાબ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર વેબિનારનું સંચાલન અને આભારવિધિ પત્રકારત્વ વિભાગના ફેકલ્ટીશ્રી ભરતભાઈ ચૌધરીએ કરી હતી.
COMMENTS